સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Breaking news
Morbi Today

મોરબી અને વિસાવદરના ધારાસભ્ય તેઓના આકાને પૂછ્યા વગર બાથરૂમ પણ ન જઈ શકે, ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર સ્થિતિ સુધારવાની આપો: લલિતભાઈ કાગથરા


SHARE











મોરબી અને વિસાવદરના ધારાસભ્ય તેઓના આકાને પૂછ્યા વગર બાથરૂમ પણ ન જઈ શકે, ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર સ્થિતિ સુધારવાની આપો: લલિતભાઈ કાગથરા

મોરબી શહેરની પરિસ્થિતિ હાલમાં નર્કાગાર સમાન બની ગઈ છે અને લોકો સ્વયંભૂ રીતે રસ્તા ઉપર આવીને પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે લોકોની સાથે ઊભા રહીને લોકોની સુવિધા માટે આગામી સોમવારે મહાપાલીકાનો ઘેરાવ કરવા નું એલાન કર્યું છે તે સંદર્ભે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર મોરબી અને વિસાવદરના ધારાસભ્યની જે ચેલેન્જ ની વાતો થઈ રહી છે તે મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા અને ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવાની ચેલેન્જ આપો તેવી પણ ટકોર કરી હતી.

મોરબીમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જુદા જુદા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરી રહ્યા હતા જેથી કરીને આજે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરીને ધારાસભ્ય લલીતભાઈ કાગથરાની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમણે ભાજપને આડે હાથે લેતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાલિકામાં વર્ષો સુધી ભાજપએ શાસન કર્યું છે તેમ છતાં પણ આજની તારીખે લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર આવવું પડે, થાળી વગાડવી પડે આવી દુર્દશા મોરબીની થઈ ગઈ છે જેથી કરીને કોંગ્રેસની આગેવાની હેઠળ આવતા સોમવારે સ્થાનિક લોકોને સાથે રાખીને મહાપાલિકાનો ઘેરાવ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ તેવું આહવાન કર્યું હતું. વધુમાં લલીતભાઈ કહ્યું હતું કે મોરબીના લોકોએ કાંતિભાઈ અમૃતિયાની ફાંદ ફાટી જાય તેટલા મત તેઓને આપ્યા હતા ત્યારે હવે ચેલેન્જ આપવાની નહીં પરંતુ લોકોને કામ કરવાની જરૂર છે મોરબીની આસપાસના વિસ્તારમાં આડેધડ બાંધકામાના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે જેથી મોરબી નર્કાગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે ત્યારે વર્ષોથી મોરબીને પેરિસ બનાવવાની વાતો કરનારા લોકો પહેલા મોરબીને નર્કાગાર પરિસ્થિતિમાંથી બહાર કાઢે તે માટે તેને કોંગ્રેસ દ્વારા મહાપાલીકાનો ઘેરાવ કરવામાં આવશે અને અંતમાં છેલ્લા દિવસોથી મોરબી અને વિસાવદરના ધારાસભ્ય રાજીનામાં મૂકવાની અને ચૂંટણી લડવાની એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે બંને રાષ્ટ્રીય પક્ષના જવાબદાર ધારાસભ્યો છે અને તેઓને લોકોએ મત આપીને ચુંટી કાઢ્યા છે. આ લોકો પોતાના આકાઓને પૂછ્યા વગર કોઈ કામ કરી શકતા નથી ત્યારે એકબીજાને ચેલેન્જ આપવાના અને લોકોને ગુમરાહ કરવાના કામ બંધ કરીને ગુંડાગર્દી ડામવા અને નર્કાગાર પરિસ્થિતિમાંથી તેઓના મત વિસ્તારના લોકોને બહાર કાઢવા માટે કામ કરે તેવી પણ ટકોર કરી હતી.






Latest News