મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી


SHARE











મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી

મોરબી જિલ્લા સેવા સદનમાં લોકોની સુવિધા માટે જુદીજુદી બાજુએ દરવાજા મૂકવામાં આવેલ છે પરંતુ સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈપણ કારણોસર એક દરવાજા સિવાયના બીજા દરવાજ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને સિનિયર સીટીઝન સહિત સેવા સદનમાં કામ કાજે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને તમામ દરવાજા ખોલવામાં આવે તેવી કલેક્ટરને સિનિયર સીટીઝન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો દરવાજા નહીં ખોલવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મોરબીમાં આવેલ રીલીકનગરમાં રહેતા એમ.જી. મારૂતીએ કલેક્ટરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સેવા સદનમાં ઘણી બધી ઓફીસ આવેલ છે તો પણ તે કચેરીમાં એક દરવાજા સિવાયનાં બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવેલ છે. જેથી કરીને સિનિયર સીટીઝન સહિતના લોકોને કચેરીમાં આવે ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સેવા સદન બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આવનારા અરજદારોને ધ્યાને રાખીને દરવાજા મૂકવામાં આવેલ હતા જો કે, ત્યાંના દરવાજા શા માટે બંધ કરવામાં આવેલ છે તે કોઈને સમજાતું નથી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓ સિનિયર સીટીઝન છે અને પોતાનો દાખલો લેવા માટે ટ્રેઝરી ઓફીસે ગયા હતા અને તેઓને શ્વાસની તકલીફ છે, હૃદયની બીમારી છે અને ત્રણ નળી બ્લોક છે જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી તેઓની જેવા સિનિયર સિટીઝનોની મુશ્કેલીઓને ધ્યાને રાખીને સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News