મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો

મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો કોર્ટ દ્રારા જામીન ઉપર છુટકારો કરવામાં આવેલ છે.

બનાવની ટુકમાં હકીકત એવી છે કે ગત તા.૧૧-૪-૨૫ ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં કુલ ૧૧ ઈસમો સામે બી.એન.એસ. ની કલમ ૧૦૮ તથા ગુજરાત નાણા ઘીરઘાર ની કલમ ૪૦, ૪૨ અન્વયે ફરીયાદ આપેલી ફરીયાદીએ તેના મોટા ભાઈ નીલેશભાઈ હરેશભાઈ મકવાણાએ હીતેશ માર્કેટીંગ નામની ઓફીસમાં આરોપીઓ ના દબાણ ના કારણે જંતુનાશક દવા પી લઇને પોતે આપઘાત કરતા સ્યુસાઈડ નોટના આઘારે આરોપી ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, હીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય બીજા ઈસમો સામે ફરીયાદ આપેલી જેથી મોરબી બી ડીવી. પોલીસે આરોપી ભગીરથસિંહ જનકસિંહ જાડેજા અને હીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પકડીને નામ.કોર્ટમાં રજુ કરતા નામ.નીચેની અદાલતે જેલ હવાલે કરતા બંન્ને આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત નામ.સેશન્સ કોર્ટમાં નામ.સેશન્સ જજશ્રી મીતલકુમાર રસીકભાઈ નાદપરાની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા નામદાર સેશન્સ કોર્ટે બંન્ને આરોપીઓને શરતોને આધીન રૂા.૫૦,૦૦૦ ના રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.આરોપીઓ પક્ષે વકીલ મનીષ પી.ઓઝા તથા મેનાઝ એ. પરમારની દલીલો તથા નામ.ગુજ. હાઈકોર્ટ તથા નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા વકીલની ઘારદાર રજુઆતો ધ્યાને લઈ સેશન્સ જજશ્રી નાગપરાએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.






Latest News