સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું


SHARE











મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું

મોરબીમાં દર વર્ષે મહોરમ નિમિત્તે તાજિયાનું આયોજન થતું હોય છે અને મોરબીના નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન થાય છે તેવી જ રીતે આ વર્ષે પણ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ મળીને 11 જેટલા તાજીયા પડમાં આવ્યા હતા અને રવિવારની રાત્રે મોરબીના નગર દરવાજા ચોકમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને હજારો મુસ્લિમ બિરાદરોની હાજરીમાં તે તાજીયા ઠંડા થયા હતા

મોરબીના કાલિકા પ્લોટ, મચ્છી પીઠ, જોન્સનગર, વીસીપરા, મકરાણીવાસ વગેરે વિસ્તારોમાંથી દર વર્ષે મહોરમ નિમિત્તે 11 તાજીયા પડમાં આવતા હોય છે અને મોરબીના નગર દરવાજા ચોક ખાતે તે તાજિયા વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે કોમી એકતાના પ્રતીક સમાન હજરત ઈમામ હુસેન (શહીદે કરબલા)ની યાદમાં 1375 વર્ષથી સમગ્ર દેશની અંદર મોહરમ પર્વ નિમિત્તે તાજ્યના નીકળે છે તેવી જ રીતે પણ તાજિયા નીકળ્યા હતા અને મોરબીમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તાજીયા વિસર્જન પ્રોગ્રામનું મોરબીના નગર દરવાજા ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી શહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરસીદમિયા હાજી મદનીમીયા બાપુ કાદરી તથા નાયબ શહેર ખતીબ સૈયદ હાજી સિકંદરમિયા હાજી મદનીમીયા બાપુ કાદરી હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી ભાજપના અગ્રણી જયંતીભાઈ પટેલ, જ્યોતિસિંહ જાડેજા, એલ.એમ.કંઝારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, સીમાબેન સોલંકી, આશીફ્ભઈ ઘાંચી વિગેરે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા






Latest News