મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું


SHARE













મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું

વાંકાનેરમાં રહેતા વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું મોરબીમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. અને તેઓએ પત્રકાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે તેઓએ પત્રકારોને જણાવ્યુ હતું કે, મોરબી શહેર તથા જિલ્લાના લોકો કોઈપણ રજૂઆત કે પ્રશ્ન હોય તો તેની લેખિતમાં રજૂઆત કરી શકશે.

મોરબી કલેકટર કચેરી ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલય ખાતે મોરબીના પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને કેસરીદેવસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી શહેર તથા જિલ્લાના લોકોના કેન્દ્ર અને રાજ્ય સરકારે લગતા કોઈ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તેની રજૂઆત તેઓ કરી શકશે. અને લોકસભા ચાલુ ન હોય ત્યારે દર સોમવારે તેઓ મોરબી કલેકટર ખાતે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે હાજર રહેશે અને લોકોના પ્રશ્નો ઉકેલાય તથા લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે યોગ્ય જગ્યાએ લોકોની વાતને પહોચાડશે.

ખાસ કરીને આ તકે પત્રકારો દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય અને સુવિધાઓ વધે તે માટે થઈને મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં રહેવા ફરવા લાયક સ્થળોને ડેવલોપ કરવામાં આવે તે ઉપરાંત મોરબીમાં મચ્છુ નદીના કાંઠે રિવરફ્રન્ટની વર્ષોથી વાતો કરવામાં આવે છે તેને સાકાર કરવામાં આવે તથા અન્ય જે નશાકારક વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે તેના સહિતના દૂષણો છે તે દૂષણોને ડામવા માટે થઈને પણ સાંસદને કહેવામા આવ્યું હતું.






Latest News