મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન


SHARE











મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન

નવયુગ કોલજ કેમ્પસમાં B.sc, BBA, B.com, BCA, MBA, M.Sc એમ કુલ દસ કોલેજોનો સમાવેશ થાય છે.હાલ નવું શૈક્ષણિક સત્ર થયું છે.નવયુગની અંદર પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા લગભગ ૬૦૦  વિધાર્થીઓ માટે સુ-સ્વાગતમ્ સમારોહનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતુ.

સમારોહના  મુખ્ય વક્તા તરીકે નામાંકિત હાસ્ય કલાકાર, લેખક, મોટીવેશનલ સ્પીકર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યાં હતા.સાઈરામ દવેએ પ્રથમ વર્ષના વિધાર્થીઓ કે જેમની કોલેજ લાઇફ શરૂ થવાની છે.એમના માટે સરસ સૂત્રો આપ્યા હતા.શિક્ષણ, કેળવણી, સ્કીલ, નિષ્ફળતાએ સફળતાની વિરોધી નહીં પણ પૂરક છે...આવા અનેક જીવનલક્ષી મૂલ્યો ખૂબ જ સરળ અને સમજી શકાય એવી શૈલીમાં પીરસ્યા હતા.હાસ્યની સાથે જીવન જીવવાની રીત પણ શીખવી હતી.વિધાર્થીઓ જીવનને સુખમય તેમજ શાંતિપૂર્ણ બનાવવા માટે ઉપયોગી એવા જડીબુટ્ટી સમાન સૂત્રો પણ આપ્યા હતા.કોલેજની નવી શરૂઆત કરનારા વિદ્યાર્થીઓને  માનનીય પી.ડી.કાંજીયાએ કોલેજ લાઈફ કેવી હોય, તેઓ દરેક જગ્યાએથી જ્ઞાન મેળવી શકે, માત્ર પુસ્તકને લગતું નહી પણ સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ મેળવવું વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા તેમજ તમામ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાના માર્ગદર્શનથી સફળ રહ્યો હતો.






Latest News