મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન


SHARE







મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન

નવયુગ કોલજ કેમ્પસમાં B.sc, BBA, B.com, BCA, MBA, M.Sc એમ કુલ દસ કોલેજોનો સમાવેશ થાય છે.હાલ નવું શૈક્ષણિક સત્ર થયું છે.નવયુગની અંદર પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા લગભગ ૬૦૦  વિધાર્થીઓ માટે સુ-સ્વાગતમ્ સમારોહનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતુ.

સમારોહના  મુખ્ય વક્તા તરીકે નામાંકિત હાસ્ય કલાકાર, લેખક, મોટીવેશનલ સ્પીકર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યાં હતા.સાઈરામ દવેએ પ્રથમ વર્ષના વિધાર્થીઓ કે જેમની કોલેજ લાઇફ શરૂ થવાની છે.એમના માટે સરસ સૂત્રો આપ્યા હતા.શિક્ષણ, કેળવણી, સ્કીલ, નિષ્ફળતાએ સફળતાની વિરોધી નહીં પણ પૂરક છે...આવા અનેક જીવનલક્ષી મૂલ્યો ખૂબ જ સરળ અને સમજી શકાય એવી શૈલીમાં પીરસ્યા હતા.હાસ્યની સાથે જીવન જીવવાની રીત પણ શીખવી હતી.વિધાર્થીઓ જીવનને સુખમય તેમજ શાંતિપૂર્ણ બનાવવા માટે ઉપયોગી એવા જડીબુટ્ટી સમાન સૂત્રો પણ આપ્યા હતા.કોલેજની નવી શરૂઆત કરનારા વિદ્યાર્થીઓને  માનનીય પી.ડી.કાંજીયાએ કોલેજ લાઈફ કેવી હોય, તેઓ દરેક જગ્યાએથી જ્ઞાન મેળવી શકે, માત્ર પુસ્તકને લગતું નહી પણ સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ મેળવવું વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા તેમજ તમામ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાના માર્ગદર્શનથી સફળ રહ્યો હતો.






Latest News