વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે કસોટીમાં ભાગ લેવા મોરબીના લોકોને આહ્વાન કર્યું છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધો. 6 થી 8 અને ધો. 9 થી 12 એમ બે કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને ભારત કો જાનોબૂક ટોકન ફી થી આપવામાં આવશે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. અને આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર લેનારા બાળકોને મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવશે. અને કોઈપણ શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે જણાવવા જણાવ્યુ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા માટેની લેખિત પરીક્ષા શાળામાં ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં અને મૌખિક કસોટી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાખવામા આવશે. અને આગામી દિવસોમાં તેના માટે ફાઈનલ તારીખ અને સમયની જાણ સંસ્થા કરશે. અને વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા જણાવવા માટે હરદેવભાઈ ડાંગર (97273 67555), ચેતનભાઈ સાણંદિયા (99740 35174), રાવતભાઈ કાનગડ (99243 69094) નો સંપર્ક કરવા હિરેનભાઈ ધોરિયાણી, ધ્રુમિલભાઈ આડેસરા અને હિંમતભાઈ મારવણિયાએ જણાવ્યુ છે






Latest News