ચોમાસે પાણીનો પોકાર: મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, મહિલાઓનો મનપામાં હોબાળો
વિસાવદરમાં ગોપાલ ઇટાલીયાનો વિજય થતાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરાઇ આતિશબાજી
SHARE








વિસાવદરમાં ગોપાલ ઇટાલીયાનો વિજય થતાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરાઇ આતિશબાજી
મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આજે આમ આદમી પાર્ટી દ્વારા આતિશબાજી કરી એક મેકના મોં મીઠા કરાવીને વિસાવદરની વિધાનસભાની બેઠક ઉપર ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થયો છે તેના વધામણા કરવામાં આવ્યા હતા અને ભાજપની બી ટીમ કોણ છે તે વિસાવદરના પરિણામ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે તેવું મોરબી જિલ્લાના પ્રભારીએ કહ્યું હતું.
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં કડી અને વિસાવદર બેઠકમાં સમાવેશ થાય છે અને વિસાવદર બેઠક ઉપર ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપંખીઓ જંગ હતો અને તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાનો જંગી લીડ સાથે વિજય થયો છે જેથી આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દરેક જિલ્લામાં વિજયના વધામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા તથા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ આતિશબાજી કરીને વિસાવદર બેઠક ઉપર થયેલ ગોપાલભાઈ ઇટાલીયાના ભવ્ય વિજયને વધારવામાં આવ્યો હતો અને એકમેકના મો મીઠા કરાવ્યા હતા તેમજ પંકજભાઈ રાણસરીયા જણાવ્યું હતું કે ભાજપની બી ટીમ કોણ છે તે વિસાવદરના પરિણામ ઉપરથી લોકોએ સમજી જ લીધું છે જેથી આવા જ પરિણામો હવે આગામી સમયમાં ગુજરાતની અન્ય ચૂંટણીઓમાં જોવા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

