મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા 45 ઘેટા-બકરાને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


SHARE











મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા 45 ઘેટા-બકરાને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી ચોક્કસ માહિતી ગૌરક્ષકોને મળી હતી જેના આધારે વોચ રાખવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને બોલેરો ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 45 જેટલા ઘેટા-બકરા મળી આવ્યા હોય તેને બચાવવામાં આવ્યા હતા અને બોલેરો ગાડી લઈને જઈ રહેલા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપરથી અવારનવાર વાહનોમાં ભરીને કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌરક્ષકો દ્વારા બચાવવામાં આવતા હોય છે તેવી જ રીતે વધુ એક વખત મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને ભરીને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી હકીકત ગૌરક્ષોને મળી હતી જેના આધારે પોલીસને સાથે રાખીને ત્યાં વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે બી એક્સ 1959 પસાર થતા તેને રોકીને ચેક કરવામાં આવી હતી અને ત્યારે તે ગાડીમાં 45 જેટલા ઘેટા અને બકરા ભરવામાં આવ્યા હતા અને તે અંગેના કોઈ આધાર પુરાવા વાહનમાં બેઠેલા શખ્સો પાસે ન હતા તેમજ વાહનની અંદર અબોલ જીવ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં જેથી કરીને હાલમાં રામજીભાઈ શિવાભાઈ રબારી (28) રહે રવાપર નદી તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસમશાશાહ બાકરશા શેખ (37) રહે અંજાર અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા (45) રહે કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News