મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE







મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા આગેવાને રાજ્યના કૃષિ મંત્રીને રાજ્યના આવેલ તમામ ખેતીની જમીનનું પરીક્ષણ કરવા માટેની રજૂઆત કરેલ છે અને જે તે વિસ્તારમાં જમીનને અનુરૂપ પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે અને ઉપજ નીપજ સારી આવવાથી સરકારને પણ ફાયદો થશે.

મોરબીમાં રહેતા વકીલ કરશનભાઇ ભરવાડ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેતીલાયક જમીન આવેલ છે ત્યાં ખેતી પેદાશ માટે ખેતીની જમીનનું રાસાયણિક અને વૈજ્ઞાનિક ઢબે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું જોઈએ અને અહીની જમીનને અનુરૂપ કૃષિ વાવેતર કરવામાં આવે તો જમીનમાં ઓછા પાણી, ઓછા ખાતર અને વહેલા સમયમાં ઉપજ નીપજ અને સારો પાક મળી શકે તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અમુક જિલ્લાઓમાં રેતાળ જમીન, અમુક જિલ્લાઓમાં લાલ માટીની જમીન, અમુક જિલ્લાઓમાં સફેદ માટેની જમીન, અમુક જિલ્લાઓમાં કાળી માટીની જમીન, અમુક જિલ્લાઓમાં પથ્થરાળ જમીન અને અમુક જિલ્લાઓમાં ખનીજ લાયક જમીનો હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીલાયકની જમીન જુદી જુદી રીતની અને પ્રકારની છે જેથી ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી તપાસણી કરીને પાકનું વાવેતર કરવામાં આવે તો પાક સારો ઉગે અને ઓછા પાણીએ ઓછા ખાતરે વધુ ઉપજ નીપજ મળે તેમ છે અને તો ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News