મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા આગેવાને રાજ્યના કૃષિ મંત્રીને રાજ્યના આવેલ તમામ ખેતીની જમીનનું પરીક્ષણ કરવા માટેની રજૂઆત કરેલ છે અને જે તે વિસ્તારમાં જમીનને અનુરૂપ પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે અને ઉપજ નીપજ સારી આવવાથી સરકારને પણ ફાયદો થશે.

મોરબીમાં રહેતા વકીલ કરશનભાઇ ભરવાડ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેતીલાયક જમીન આવેલ છે ત્યાં ખેતી પેદાશ માટે ખેતીની જમીનનું રાસાયણિક અને વૈજ્ઞાનિક ઢબે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું જોઈએ અને અહીની જમીનને અનુરૂપ કૃષિ વાવેતર કરવામાં આવે તો જમીનમાં ઓછા પાણી, ઓછા ખાતર અને વહેલા સમયમાં ઉપજ નીપજ અને સારો પાક મળી શકે તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અમુક જિલ્લાઓમાં રેતાળ જમીન, અમુક જિલ્લાઓમાં લાલ માટીની જમીન, અમુક જિલ્લાઓમાં સફેદ માટેની જમીન, અમુક જિલ્લાઓમાં કાળી માટીની જમીન, અમુક જિલ્લાઓમાં પથ્થરાળ જમીન અને અમુક જિલ્લાઓમાં ખનીજ લાયક જમીનો હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીલાયકની જમીન જુદી જુદી રીતની અને પ્રકારની છે જેથી ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી તપાસણી કરીને પાકનું વાવેતર કરવામાં આવે તો પાક સારો ઉગે અને ઓછા પાણીએ ઓછા ખાતરે વધુ ઉપજ નીપજ મળે તેમ છે અને તો ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News