મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી


SHARE











મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જયારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાની યોગ દિવસની ઉજવણી મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે.

સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ અને સામાન્ય કસરત એ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં બેઠાડું જીવન અને વધારે પડતું તણાવ અનેક રોગનું કારણ બની રહ્યું છે. ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ તરીકે લોકોને યોગનું મહત્વ સમજાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાના હેતુથી સમગ્ર દેશ દુનિયામાં આ વર્ષે 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ' ની થીમ સાથે ૨૧ જૂનના રોજ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય કક્ષાએ અને તેની સાથે તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન  મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે. મોરબી શહેર કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરવાસીઓને ઉપસ્થિત રહેવા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેઅનુરોધ કર્યો  છે. ઉલેખનીય છે કે, મોરબીની ઓળખ સમાન મણીમંદિર કે, જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે






Latest News