મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા


SHARE











માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા

માળીયા (મી) ના જૂના માણાબા ગામે રહેતા યુવાનની પત્ની અને દીકરો તેના કૌટુંબિક ભાઈ ભાભી સાથે રિક્ષામાં હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનની પત્નીને માથા અને  કપાળમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને રીક્ષા ચાલક, રિક્ષા ચોકના પત્ની અને યુવાનના દીકરાને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના જુના માણાબા ગામે રહેતા લલિતભાઈ વલ્લભદાસ નિમાવત (41)ર હાલમાં સીએનજી રીક્ષા નં. જીજે 36 ડબલ્યુ 2309 ના ચાલક અજયભાઈ હરજીવનદાસ નિમાવત રહે. જુના મણાબા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, જૂના માણાબા ગામથી તેઓના કૌટુંબિક ભાઈ અજયભાઈ નિમાવતની રીક્ષામાં અજયભાઈના પત્ની સાક્ષીબેન તથા ફરિયાદીના પત્ની પદ્માબેન અને ફરિયાદીનો દીકરો ઉત્તમ હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં આવેલ ખાડામાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પત્ની પદ્માબેનને માથાની પાછળના ભાગમાં અને કપાળે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીના દીકરાને ડાબા પગના પંજામાં ઈજા થઈ હતી અને રીક્ષા ચાલક તથા તેના પત્નીને પણ ખભાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે જેથી કરીને તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News