મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો
Breaking news
Morbi Today

વડોદરાથી ભાગીને હળવદના દેવળીયા ગામે મજૂરી કરતાં મોટાબાપુને ત્યાં આવેલ પ્રેમી યુગલે સજોડે જીવન ટુકાવ્યું


SHARE















વડોદરાથી ભાગીને હળવદના દેવળીયા ગામે મજૂરી કરતાં મોટાબાપુને ત્યાં આવેલ પ્રેમી યુગલે સજોડે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રેમી યુગલ ભાગીને હળવદના દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કામ કરતા તેના મોટાબાપુને ત્યાં આવી ગયું હતું અને યુવકના મોટાબાપુએ આ અંગેની જાણ યુવાનની માતાને કરી હતી જેથી તે પ્રેમી યુગલને લેવા માટે યુવાનની માતા ત્યાં આવી હતી અને બીજા દિવસે સવારે તેઓ વડોદરા જવાના હતા દરમિયાન રાત્રિના સમયે યુવક અને યુવતીએ છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારણભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા શાંતિલાલ ચંદુભાઈ નાયકને ત્યાં તેઓનો ભત્રીજો વિપુલકુમાર મુકેશભાઈ નાયક (24) રહે.મુળ દરજીપુરા ફળિયું રાયણ તલાવડી આજવા કમ્પાઉન્ડ વડોદરા અને રિયાબેન પૂનમભાઈ તડવી (17) રહે.મુળ ઉબેરા તાલુકો વડોદરા વાળા આવ્યા હતા અને છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને બંનેએ સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેઓના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિપુલ નાયક અને રીયાબેન તડવીને પ્રેમ સંબંધ હોય તેવો અગાઉ પણ ભાગી ગયા હતા અને તેઓને ત્યારે સમજાવીને ઘરે પાછા લઈ આવ્યા હતા જોકે ફરી પાછા આ બંને ભાગીને દેવળિયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં તેઓના મોટાબાપુ પાસે આવ્યા હતા અને તે બંનેને તેઓના પરિવારજનો વડોદરમાં તેઓને શોધી રહ્યા હતા. દરમિયાન વિપુલના મોટાબાપુએ વિપુલ અને રીયા તેઓને ત્યાં આવ્યા છે તેવી જાણ કરી હતી જેથી વિપુલની માતા તે બંને લેવા માટે દેવળિયા ગામે આવી હતી અને બંનેને સમજાવીને બીજા દિવસે સવારે પરત વડોદરા લઈને જવાના હતા જોકે રાત્રિ દરમિયાન વિપુલ અને રિયાએ સજોડે આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News