સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ન મળતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં કામ ન મળતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લાલપર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા યુવાનનું કારખાનું બંધ થઈ ગયું હતું અને બીજી કોઈ જગ્યાએ કામ મળતું ન હતું જેથી તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિનિયર સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચુનુરામ હેમારામ આદિવાસી (45) નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી તેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાન જે કારખાનામાં કામ કરતો હતો તે કારખાનું બંધ થઈ ગયું હતું અને તેને બીજી કોઈ જગ્યાએ કામ મળતું ન હતું જેથી તેને અંતિમ પગલું ભર્યું છે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે અરજણભાઈ જીવાભાઇ મારવાડી (35), દિનેશભાઈ જીવાભાઇ મારવાડી (30), જીવાભાઇ નારણભાઈ મારવાડી (60) અને તેજલબેન દિનેશભાઈ મારવાડી (10) નામના ચાર વ્યક્તિઓને ઈજાઓ થહોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે રફાળેશ્વર ગામે મારામારીના બનાવમાં નવઘણભાઈ ખોડાભાઈ પરમાર (26) અને સવજીભાઈ પરમાર (19)ને  ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબીના હરીપર ગામના પાટીયા પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહેતા અનિલકુમાર ઉર્ફે સત્યેન્દ્રકુમાર જ્ઞાનસિંહ (50) નામના આધેડ માળીયા હાઇવે રોડ ઉપર કારખાના પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News