મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખીરઈ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોરબીના યુવાનનું મોત


SHARE













માળિયા (મી)ના ખીરઈ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોરબીના યુવાનનું મોત

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન માળિયાની તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (40) નામનો યુવાન કોઈ કારણોસર માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે મુકેશભાઈ સાગઠીયા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની માળિયાની સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા વિપુલભાઈ ભીખાભાઈ ગોગરા (29) નામના યુવાનને ખાનપર અને ધુળકોટ વચ્ચે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પોર્ટ વિસ્તારમાં રહેતા નવીનભાઈ હરિભાઈ માણેક (62) નામના વૃદ્ધને માર્કો સોસાયટી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News