મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું

ગુજરત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (જીટીયુ) દ્વારા લેવામાં આવેલ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા હતો તે મામલે મોરબી એબીવીપી દ્વારા જીટીયુના કુલપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં લખ્યું છે કે, તા. 29/5 ના રોજ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો સુધારો યુનીવર્સીટી દ્વારા 12:26 કલાકે મેઈલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઇ હતી જયારે બીજો મેઈલ 12:31 કલાક આવેલ છે અને ત્રીજો મેલ 12:56 કલાકે આવ્યો હતો આમ જીટીયુની ગંભીર બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે. ત્યારે જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસીંગ આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે તેવી માંગ મોરબી એબીવીપી દ્વારા કરવામાં આવેલ છે.






Latest News