મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું

ગુજરત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (જીટીયુ) દ્વારા લેવામાં આવેલ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા હતો તે મામલે મોરબી એબીવીપી દ્વારા જીટીયુના કુલપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં લખ્યું છે કે, તા. 29/5 ના રોજ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો સુધારો યુનીવર્સીટી દ્વારા 12:26 કલાકે મેઈલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઇ હતી જયારે બીજો મેઈલ 12:31 કલાક આવેલ છે અને ત્રીજો મેલ 12:56 કલાકે આવ્યો હતો આમ જીટીયુની ગંભીર બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે. ત્યારે જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસીંગ આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે તેવી માંગ મોરબી એબીવીપી દ્વારા કરવામાં આવેલ છે.






Latest News