મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીએ વ્યસન મુક્તિના લીધા શપથ
મોરબીમાં સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા સાયબર ક્રાઇમ માર્ગદર્શન સેમીનાર યોજાયો
SHARE








મોરબીમાં સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા સાયબર ક્રાઇમ માર્ગદર્શન સેમીનાર યોજાયો
મોરબી મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો ત્યારે સંસ્થામાં આવેલા નવા સભ્યોને આવકારવામાં આવ્યા હતા અને સદગત સદસ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે જિલ્લા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અમીતભાઈ બાબરિયા, અંકિતાબેન બારોટ, જયશ્રીબેન સંઘાણી હાજર રહ્યા હતા અને સિનિયર સીટીઝન સંસ્થાના સભ્યો તેમજ લોકોને વિવિધ પ્રકારના ક્રાઇમ સામે અવર્નેસ આવે તેના માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ આમંત્રિત મહેમાનોનું શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ ડૉ. બી.કે. લહેરુ, અનિલભાઈ મહેતા, એન.એમ. ચડાસણિયા, મંત્રી મહેશ ભટ્ટ, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેને સફળ બનાવવા માટે સંસ્થાના સભ્યો સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

