મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ


SHARE















વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ

વાંકાનેર પાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા વિના સાધારણ સભાની વિડીયોગ્રાફી ન કરીને માત્ર બે મિનીટમાં સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી જેથી વિરોધપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને હાલમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી નોટિસ આપવામાં આવેલ છે અને જવાબ સાથે તા 20 ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

વાંકાનેર પાલિકાના વિરોધ પક્ષના નેતા મહમદ રાઠોડ તેમજ સભ્યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, અશરફ ચૌહાણ, ફૂલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મ્યુનીસીપાલીટીઝ એક્ટની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ગત તા. 24 માર્ચના રોજ એજન્ડા જાહેર કરીને નિયમ મુજબ સાત દિવસ થતાં ન હતા તો પણ 29 માર્ચના રોજ સામાન્ય સભા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. 1 એપ્રિલના રોજ નવો એજન્ડા જાહેર કરીને 8 એપ્રિલે સામાન્ય સભા બોલાવી હતી તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું ન હતું અને સામાન્ય સભા બે મિનીટમાં પૂરી કરી દેવામાં આવેલ હતી. અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા એજન્ડા 1 થી 19 નું વાંચન કર્યા વગર મુદા મંજુર એવું બોલી મીટીંગ પૂરી કરી દેવામાં આવી હતી. જેથી વિપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને નોટીસ આપવામાં આવી છે અને તા 20 ના રોજ 12 કલાકે પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોન ખાતે લેખિત/ મૌખિક જવાબ અને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અને જો તેઓ ગેરહાજર રહેશો તો તેમની કોઈ રજૂઆત નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News