મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત


SHARE







મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાલી પડેલા કવાર્ટર લાભાર્થીઓને આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ૩૦ લાભાર્થીઓ આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓએ તેના દસ્તાવેજ જમા કરાવેલ છે જેની તપાસણી બાદ કવાર્ટર ફાળવણીનું કામ શરૂ કરવામાં આવશે.

મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું છે અને મોરબી મહાપાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે તા.૩૦-૪ ના રોજ ૧૦:૩૦ થી ૫ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેઈટીંગ લીસ્ટમાં રહેલા ૫૦ લાભાર્થીઓ પૈકી ૩૦ લાભાર્થીઓ ત્યાં આવ્યા હતા અને ૧૨ લાભાર્થીઓ નિયત કરેલ દસ્તાવેજ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી લાભાર્થીનો ફાળો ભરાવી કામધેનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં આવાસ ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. અને વેઈટીંગ લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.






Latest News