મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે પેપર મીલમાં હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE















વાંકાનેરના સરતાનપર રોડે પેપર મીલમાં હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઇટ પેપર મીલના કમ્પાઉન્ડમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને છાતીના ભાગે ગંભીર જા થઈ હોવાથી તેને યુવાનને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હાલમાં ડમ્પરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી જમાદાર રાસિંગ પાવરા (67)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 13 કેડબલ્યુ 3529 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઇટ પેપર મીલના કમ્પાઉન્ડમાં આવેલ લેબર ક્વાર્ટરમાં ફરિયાદીનો દીકરો આદેશ જમાદાર પાવરા (25) રહેતો હતો અને ત્યાં કારખાનાના કમ્પાઉન્ડની અંદર કામગીરી કરી રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો અને ત્યારે આદેશ પાવરાને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઈકની ચોરી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ કેરવાડીયા (32)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ પાસે પરસોતમ ચોકમાં શનિ મંદિરની બહાર તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 8204 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી 50000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News