મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી


SHARE











મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લેવી પડી હતી. બનાવની વિગત મુજબ ગત તા.13/2/2024 ના રોજ એક ભાઈએ પોતાની સગીર બહેનના અપહરણ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસ કરતા મોરબીનો મુસ્લિમ યુવક રમજાન બ્લોચ નામનો ઈસમ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવેલ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરેલ હતો.કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ હતો. સમયાંતરે આરોપીએ પોતાના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જે ચાલી જતા આ ફરીયાદીના વકીલે જામીન અરજી સંદર્ભે વાંધાઓ રજુ કરેલા. અને જામીન ન આપવા દલીલો કરી હતી. બન્ને પક્ષોને કોર્ટે સાંભળ્યા હતા. આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ, જેથી આરોપીને પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.

આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે, વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર તેમજ મદદનીશ તરીકે કિશન ભીમાણી, હિરેન એસ. વિઠ્ઠલાપરા, એસ. સી. વિઠ્ઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ, સચિન આર. દેસાઈ રોકાયેલ હતા.






Latest News