મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે યુવાન ઉપર બંદૂકથી ભડાકો ન થતાં છરીના આડેધડ ઘા ઝીકિને કરી હત્યા


SHARE











મોરબીના ખાખરાળા ગામે યુવાન ઉપર બંદૂકથી ભડાકો ન થતાં છરીના આડેધડ ઘા ઝીકિને કરી હત્યા

મોરબીના ખાખરાળા ગામે રહેતો યુવાન રાજકોટ ખાતે અભ્યાસ કરતો હતો અને વેકેશન હોવાથી તે પોતાના ઘરે આવ્યો હતો અને ગામમાં આવેલ દુકાને અન્ય લોકોની સાથે તે બેઠો હતો તેવામાં ગામનો જ એક શખ્સ બંદૂક લઈને તેની પાસે આવ્યો હતો અને યુવાન ઉપર ભડાકો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, બંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકયા હતા જેથી ગંભીર રીતે ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ હાલમાં સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ કરતો હતો. અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો જો કે, તેનો દીકરો કિશન વૅકેશન કરવા માટે તેઓના ઘરે ખાખરાળા ગામે આવ્યો હતો અને ફરિયાદી તેના કામથી કચ્છમાં ગયા હતા અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા તેવામાં તેને રાતે 9:23 વાગ્યે તેના નાના દીકરા નિરજનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, “કિશનને કાનીયાની દુકાન પાસે વાગેલ છે અને લોહી નીકળના પડી ગયેલ છે જેથી ડાયાબાપા તથા કેશુભાઈ તેને હોસ્પીટલે લઇ જાય છે. જેથી તમે તાત્કાલીક આવો તેમ વાત કરેલ હતી.

જેથી ફરિયાદી તેના ભત્રીજા કેશુને ફોન કર્યો હતો અને કેશુએ કહ્યું હતું કે, “આપણા લખમણભાઈ જે.આર.હોસ્પીટલમા નોકરી કરે છે ત્યા લઈને જઈએ છીએ અને તમે ત્યા આવો” જેથી ફરિયાદી ત્યાં પહોચાયા હતા અને ત્યાં તેના દીકરા કિશનને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું જોવા મળ્યું હતું અને વધુ પ્રમાણમા લોહીઓ નીકળી ગયું હતું. જેથી ફરિયાદી બનાવ વિષે લખમણભાઈ હિરાભાઈને પૂછાતા તેને કહ્યું હતું કે, હું તથા ડાયાભાઈ નથુભાઇ, કેતનભાઈ ડાયાભાઈ તથા તમારો દિકરો કિશન દુકાને હાજર હતા ત્યારે રાતના નવેક વાગ્યે સાગ૨ ઉર્ફે મુળુ આયદાનભાઈ ડાંગર ત્યાં આવ્યો હતો અને તેની પાસે રહેલ બંદુક વડે કિશન ઉપર ફાયર કરેલ પંરતુ બંદુક ફુટેલ ન હતી જેથી તેની પાસે રહેલ છરી વડે કિશનને શરીર ઉપર આડેધડ ઘા માર્યા હતા.

જેથી દુકાને હાજર રહેલા લોકો દોડીને કિશનને છોડાવવા માટે ગયા હતા તેવામાં કિશનને લોહી નીકળતા તે નીચે પડી ગયેલ હતા અને સાગર ઉર્ફે મુળુ આયદાનભાઈ ડાંગર વાળો ત્યાથી દોડીને ભાગી ગયેલ હતો ત્યાર બાદ ઇજા પામેલા કિશનને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે સાગર ઉર્ફે મુળુ આયદાનભાઇ ડાંગર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. 






Latest News