હળવદના ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચે યુવાનની હત્યા: તપાસનો ધમધમાટ
મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન
SHARE








મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન
મોરબી તાલુકામાં 79.80 ટકા જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ, તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જેથી તાલુકા પંચાયતની ટીમ દ્વારા વસુલાતની કામગીરી સારી રીતે કરવા બદલ તમામ તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીઓને તાલુકો પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા એ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ અને ટીડીઓ દ્વારા પ્રશંસા પત્ર આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ વસુલાત ગ્રામ પંચાયતના સ્વભંડોળમા જ જમા થાય છે. અને સરકાર તરફથી વસુલાત સામે પ્રોત્સાહક ગ્રાન્ટ મળે તે પણ સીધી ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમા જમા થાય છે. અને સ્વભંડોળમાં જમા થયેલ રકમ ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.

