હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું


SHARE











મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત જુદાજુદા રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે અને જે વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવેલ છે ત્યાં ફરીથી દબાણો ન કરવામાં આવે તેના માટેની પણ મહાપાલિકાએ પ્લાનિંગ કર્યું છે તેવું કમિશનરે જણાવ્યુ છે.

મોરબી મહાપાલિકા બનેલ છે ત્યારથી કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં સમાધાન માટે પહેલા જ સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ચાર માહિનામાં ઘણા મુખ્યમાર્ગો ઉપરથી કાચા પાકા લગભગ 700 થી વધારે નાના મોટા અને કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવેલ છે. અને હજુ પણ આ કામ ચાલી જ રહ્યું છે તેવામાં આજે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં થયેલ દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો, દુકાનોના થડા, ઓટલા, છાપરા વિગેરેને દૂર કરવામાં આવેલ છે અને વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેકહ્યું હતું કે, જે રોડની અગાઉ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાં પાછા દબાણ ન થાય તેના માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ફરી પાછા દબાણ કરશે તો તેને તોડી નાખવામાં આવશે.




Latest News