મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું


SHARE











મોરબીની મચ્છીપીઠમાં દુકાન પાસેના થડા સહિતના દબાણ ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તે અંતર્ગત જુદાજુદા રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે અને જે વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવેલ છે ત્યાં ફરીથી દબાણો ન કરવામાં આવે તેના માટેની પણ મહાપાલિકાએ પ્લાનિંગ કર્યું છે તેવું કમિશનરે જણાવ્યુ છે.

મોરબી મહાપાલિકા બનેલ છે ત્યારથી કમિશનર દ્વારા ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં સમાધાન માટે પહેલા જ સપ્તાહથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને છેલ્લા ચાર માહિનામાં ઘણા મુખ્યમાર્ગો ઉપરથી કાચા પાકા લગભગ 700 થી વધારે નાના મોટા અને કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવેલ છે. અને હજુ પણ આ કામ ચાલી જ રહ્યું છે તેવામાં આજે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાની હેઠળ મહાપાલિકાની ટીમ મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં થયેલ દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો, દુકાનોના થડા, ઓટલા, છાપરા વિગેરેને દૂર કરવામાં આવેલ છે અને વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેકહ્યું હતું કે, જે રોડની અગાઉ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાં પાછા દબાણ ન થાય તેના માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ ફરી પાછા દબાણ કરશે તો તેને તોડી નાખવામાં આવશે.






Latest News