મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન


SHARE











ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-મોરબી દ્વારા તા.૧૧-૪ અને ૧૫-૪ નાં રોજ હિમોગ્લોબિન અને બ્લડગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન શ્રી જૂના લીલાપર પ્રાથમિક શાળા અને શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યુ હતું.હાલનાં સમયમાં બાળકોમાં રોગોનું  પ્રમાણ વધી રહ્યુ છે.હિમોગ્લોબિનની ઉણપથી થતાં રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે. એટલે બંને શાળાઓમાંથી ટોટલ ૨૦૫ બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું અને જેમાં હિમોગ્લોબિનની ઉણપ હોય એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી, સાથે દરેક વિદ્યાર્થીઓની રોગો ન આવે  તથા  આવતા રોગોને  અટકાવવાના ઉપાયો વિષે બાળકોને સમજાય તે રીતે રસપ્રદ અને સરળ ભાષામાં પ્રાથમિક માહિતી આપવામાં  આવી હતી. દરેક બાળકોનું બ્લડગ્રુપનું ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતું. આ બંને કેમ્પમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. ભા.વિ.પ.મોરબી શાખાના સભ્યો ડૉ.જયેશભાઈ પનારા, વિપુલભાઈ અમૃતિયા, દિલીપભાઈ પરમાર, ડૉ.ચિરાગભાઈ અઘારા, ડૉ. ચિરાગભાઈ વિડજા તથા કૌશિકભાઈ અઘારા, હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષ), ધ્રુમિલભાઈ આડેસરા (સચિવ) તેમજ હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષ) સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.






Latest News