મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત


SHARE













મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત

મોરબીના મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલાવવાના છે જેથી કરીને હાલમાં ડેમને ખાલી કરવા માટે ડેમના બે દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી માળીયા તાલુકામાં મીઠાના અગરમાં પાણી જઈ રહ્યું છે જેથી કરીને મીઠાના એકમોને નુકશાન થઈ રહ્યું છે જેથી કરીને મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો. દ્વારા કલેકટર અને સિંચાઈ વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે


હાલમાં મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજાએ કલેક્ટરને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમના દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને ડેમને ખાલી કરવા માટે પાણી નદીમાં છોડ્યું છે. જો કે, મચ્છુ નદીનું પાણી મીઠાના એકમોમાં આવે છે અને હાલમાં મીઠાની સિઝન છે જેથી કરીને મીઠા ઉદ્યોગને મોટું નુકશાન વેઠવું પડે, ઉત્પાદનમાં નુકશાન થાય અને અગરિયાઓની રોજીરોટી છીનવાઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી ઓછામાં ઓછી નુકશાની થાય તેવી રીતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.






Latest News