મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

આયુષ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર અને ક્રિટિકલ કેર નિષ્ણાંત ડૉક્ટરની અનોખી અને વિશેષ સફળતા સાથે એક ડગલું આગળ


SHARE











આયુષ  હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર અને ક્રિટિકલ કેર નિષ્ણાંત ડૉક્ટરની અનોખી અને વિશેષ સફળતા સાથે એક ડગલું આગળ

૪૮ વર્ષીય પુખ્ત યુવાનને છાતીમાં તીવ્ર દુખાવો, પરસેવો અને જરૂરી શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનો  ગંભીર મોટો હુમલો  હતો,. તે ઇમરજન્સીમાં પહોંચતા જ ઢળી પડ્યો હતો. તેમના હૃદયના ધબકારા અત્યંત વધુ હતા(વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા) અને  BP અત્યંત ઓછું હતું. તાત્કાલિક ધોરણે ડૉક્ટર વિજય મકવાણા (MD Medicine) અને ડોક્ટર રીંકલ રામોલિયા (Critical care specialist) દ્વારા તાત્કાલિક CPR (કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન) શરૂ કરવામાં આવ્યું અને DC શોક અને ઊંચા હૃદયના ધબકારા નિયંત્રિત કરવા માટે દવાઓ આપવામાં આવી.

જોકે તે દવાઓ અને DC-શોકનો પ્રતિભાવ આપી રહ્યો ન હતો. ≈૨૦ DC-શોક અને ઘણી દવાઓ સાથે લગભગ ૩૦ મિનિટ સુધી CPR ચાલુ રાખવામાં આવ્યા હત. દર્દીને વેન્ટિલેટર (કૃત્રિમ શ્વાસોશ્વાસ) નું મશીન મુકવામાં આવ્યું અને તાત્કાલિક એન્જીયોગ્રાફી માટે કેથ લેબમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોનરી એન્જીયોગ્રાફીથી હૃદયની મુખ્ય ધમની ૧૦૦% બ્લોક થઈ ગઈ,અને તુરત જ ડોક્ટર લોકેશ ખંડેલવાલ (Cardiologist) દ્વારા તાત્કાલિક પ્રાથમિક એન્જીયોપ્લાસ્ટી (બલૂન ફિટ) કરવામાં આવ્યું અને LAD ધમનીમાં સારો પ્રવાહ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. દર્દીને ICUમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને ગહન અને જરૂરી  સારવાર  આપવામાં આવી. આ દર્દી બીજા દિવસે ડોક્ટર ટીમની સારવારથી વેન્ટિલેટરમાંથી બહાર કાઢવામા આવ્યા. તેમની તબિયતમાં સારો  સુધારો થયો.તેમના હૃદયનું પંપીંગ 30 ટકાથી સુધરીને 55 ટકા થઈ ગયું અને સંપૂર્ણ સ્વસ્થતા ડૉ.લોકેશ ખંડેલવાલ, ડો.વિજય મકવાણા અને ડો.રિંકલ રામોલિયા દ્વારા પ્રાપ્ત  થઈ અને  સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.






Latest News