સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી


SHARE











મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને ત્યાં મકાનની લાભાર્થીઓને સોપણી કરી દેવામાં આવેલ છે જો કે, તાજેતરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક મકાનોમાં ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આવા આસામીઓને દુર કરવા માટે મૂળ માલિકને મહાપાલિકામાંથી નોટીસ આપવામાં આવી છે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ ડેપ્યુટી કમિશ્નર સહિતની ટીમો કામ કરી રહી છે તેવામાં મહાપાલિકાના આવાસ વિભાગ દ્વારા બાયપાસ રોડે આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં 680 આવાસ ચેક કર્યા હતા ત્યારે તેમાં કેટલાક લોકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે મકાનના લાભાર્થીને નોટીસ આપવામાં આવેલ છે અને આવાસ યોજનાના મકાનમાં ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને દુકાન બંધ કરવા માટેની તાકીદ કરવામાં આવેલ છે તેમજ જે મકાનો લાભાર્થીઓને આપી દેવામાં આવેલ છે તેમ છતાં પણ બંધ છે તેના માટે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News