મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ચાચાપર ગામે ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના ચાચાપર ગામે ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલ વાડીએ યુવાને ચણાનું વાવેતર કર્યું હતું અને તે ચણામાં ઘાસ થઈ ગયું હોવાથી ઘાસ બાળવા માટે દવા પાણીમાં ઓગાળેલ હતી તેમાંથી યુવાન ભૂલથી પાણી પી જતાં તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતકના નાના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલ વાડીએ ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કેશવજીભાઈ નિયારા (38)એ ચણાના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં ઘાસ થઈ ગયું હોવાથી યુવાને ઘાસ બાળવાની દવા પાણીમાં ઓગાળેલ હતી જે પાણી ભૂલથી તે પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ લલિતભાઈ કેશવજીભાઈ સનિયારા (30) રહે. ચાચાપર તાલુકો મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાના તીથવા ગામે કોળી વાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા (38) રહે. નવાપરા નિશાળ સામે વાંકાનેર, ગોવિંદભાઈ સંધાભાઈ મેસરીયા (30) અને મગનભાઈ કરસનભાઈ સાથલીયા (50) રહે, બંને તીથવા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 2,110 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News