હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ


SHARE











મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાના દરવાજા પાસે ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ છે અને છેલ્લા એકાદ વર્ષથી ગટર ઉભરાય છે છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ તે સફાઈ કરવામાં નીષ્ફળ કેમ ?, દર્દીને ના છૂટકે ગટરમાં થઈને દવાખાને જવું પડે છે. આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને ક્ષયની સારવાર માટે જવું પડે છે અને તેઓને પણ ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. જેથી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે કે તંત્ર દ્વારા લોકોને ગંદકી માટે દંડ આપવામાં આવે છે જો કે, અહી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આ ગંભીર બેદરકારી માટે વહીવટદાર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ હતું કે, તંત્ર જો હવે સફાઈ નહીં કરવે અને હોસ્પિટલમાં જવાના રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરીને હોસ્પિટલને તાળાં બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News