મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનથી ભડીયાદ તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની હડફેટે યુવાન ચડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હોય પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા વિજયભાઈ લાલજીભાઈ સોલંકી (37) નામનો યુવાન ગત તા. 4/2 ના રોજ રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં નજરબાગ રેલવે સ્ટેશનથી ભડીયાદ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ગંભીર જાઓ થઈ હોવાના કારણે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News