ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા


SHARE











મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ભણતા ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓએ માટે છેલ્લા દોઢ માસના જુદાજુદા શૈક્ષણિક કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલા વિદ્યાર્થીઓએ માટે ઉપયોગી સેમિનારમાં તેઓને જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. જે સેમિનારો યોજવામાં આવેલ છે તેમાં સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનારમાં સિંધવ શોભનાબેન અને પરમાર બીનાબેનએ માર્ગદર્શન આપ્યું હતું, તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ કરી હતી ત્યારે પીઆઇ એન.આર. મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારમાં શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી સેમિનારમાં બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી.સમાણી અને બી.એ.ગઢવી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, મિશન માર્ચ-2025 સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે માર્ગદર્શન આપ્યું હતું, ફેશન ડિઝાઇન માટેના સેમિનારમાં હેતલબેન જોશીએ માર્ગદર્શન આપ્યું હતું, એરફોર્સ સેમિનારમાં દિવ્યરાજસિંહ રાણા (સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, નોન ટેકનિકલ વિભાગ)એ માર્ગદર્શન આપ્યું હતું, ITI સેમીનારમાં મનોજભાઈ પરમારએ માર્ગદર્શન આપ્યું હતું, C.A. સેમિનારમાં CA મૌલિકભાઈ ટોલિયાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટના સેમીનારમાં CA હાર્દિકભાઈ વ્યાસએ માર્ગદર્શન આપ્યું હતું, SSIP  Seminarમાં હર્ષદભાઈ સંતોક તેમજ શક્તિભાઈ ગોહિલ અને આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં ડોલીબેન વડાવિયાએ માર્ગદર્શન આપ્યું હતું, તેવી માહિતી શાળાના સંચાલકે આપેલ છે.






Latest News