મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ


SHARE







મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે આવતા અરજદારો અને નગરજનો પાસેથી શાખા અધિકારીના અભિપ્રાય અને સહી માંગવામાં આવે છે તે યોગ્ય નથી તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ દ્વારા કમિશ્નર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મહાપલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મહાપાલીકામાં કોઈપણ વ્યકતી કમિશ્નરને મળવા માટે આવે છે ત્યારે જે સ્લીપ આપવામાં આવે છે તેમાં જે તે શાખા વિભાગનો અભિપ્રાય અને તેમની સહી સાથે આવવા માટે કહેવામા આવે છે. તો શું કમિશ્નર અભિપ્રાય કે ખાતાકીય અધિકારીની સહિ વગર મુલાકત આપતા નથી ?, વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના લોકો ખાતાકીય રજુઆત હોય તે માટે જ મળવા માટે આવે સી હે ત્યારે જે તે ખાતાના અધિકારીની સહી અને અભિપ્રાય માંગવામાં આવે તે યોગ્ય નથી. જેથી મોરબીના લોકો તેમજ અરજદાર સીધા જ કમિશ્નરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News