મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા


SHARE











મોરબી મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા
 
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન વોર્ડ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક ચોકડી અને ત્રાજપર ચોકડી સુધી દબાણ હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે ૧૦૦ જેટલા નાના-મોટા કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યારે કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓથી હાજર રહ્યા હતા.
 
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં જે દબાણ વર્ષોથી થયેલા છે તે દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને મોરબીના મુખ્ય જે માર્ગો છે તેના ૨૮ કિલોમીટરના રસ્તા ઉપર જે કોઈ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને દૂર કરવા માટેની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે વન વિક વન વોર્ડ અંતર્ગત આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી અને માળિયા ફાટક ચોકડી સુધીના રસ્તા ઉપર રોડની બંને બાજુએ થયેલા કાચા પાકા નાના-મોટા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ તકે મોરબીના મ્યુનિસીપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો અને સરકારમાંથી પણ ખાસ કરીને દબાણ દૂર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા જ્યારે સૂચના આપવામાં આવી છે ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં લોકોને રોડ રસ્તા ઉપર ટ્રાફિક સહિતના જે પ્રશ્નો ઊભા થાય છે તેમાંથી મુક્તિ મળે તે માટે થઈને મહાનગરપાલિકાના કમિશ્નરના આદેશ મુજબ દર અઠવાડિયે એક રોડ ઉપરથી દબાણ દૂર કરવા માટેની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે અંદાજે ૧૦૦ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ દર બુધવારે આવી જ રીતે કોઈને કોઈ એક વોર્ડની અંદર એક રોડ ઉપરના દબાણો દૂર કરવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.





Latest News