મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા પખવાડિયા અંતર્ગત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા વીજ બચાવો જાગૃતિ રેલી યોજાઇ


SHARE











મોરબીમાં ઉર્જા પખવાડિયા અંતર્ગત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા વીજ બચાવો જાગૃતિ રેલી યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટા”  લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી GEDA ઉજવે છે.ઊર્જા પખવાડિયું અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં “આર્ય ભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓડીનેટર દિપેન એલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એમ.એમ.સાયન્સ કોલેજમાં ચાલતા એનસીસી કેડેટ હાજર રહ્યા હતા.તેમજ ઓસેમ અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા હતા.આ રેલીનો મુખ્ય હેતુ ઊર્જા બચત કાવાનો હતો.જેમાં વિદ્યાર્થીઓ અને એન.સી.સી કેડેટ દ્વારા ઊર્જા જાગૃતિના નારા લગાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.ઊર્જા જાગૃતિ અભ્યાન બદલ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત એમ. એમ.સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયા તેમજ એનસીસી ઓફિસર ચૌધરી તેમજ ઓસેમ અંગ્રેજી માધ્યમ સ્કૂલના આચાર્ય સના કાજી દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા જેવી માહિતી “આર્યભટ્ટા” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ. ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.






Latest News