વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો

મોરબીમાં આવેલ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'માર્ગ સલામતી માસ ૨૦૨૫' અંતર્ગત માર્ગ સલામતી  સેમિનારનું એનએસએસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે ડો. અતુલ ધ્રુવે  મોરબી આર.ટી.ઓ. ખાતેથી પધારેલા વાહન નિરીક્ષક આર.એ. જાડેજાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તજજ્ઞ વક્તા આર.એ. જાડેજાવક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે પીપીટીના માધ્યમ દ્વારા વાહન વ્યવહાર અંગેની  માર્ગ અકસ્માત અંગેની સરળ ભાષામાં ખૂબ ઉપયોગી માહિતી આપી હતી. અને એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ કર્યું હતું.






Latest News