મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કાલે માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











વાંકાનેરમાં કાલે માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાંકાનેરમાં ભગવાન માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તે મંદિરે કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરના થાન રોડ પર નિર્માણ પામેલા ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સમૂહલગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે ત્યારે કાલે તા 16 જાન્યુઆરીએ સવારે 6 થી 12 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યક્રમ યોજાશે અને અને સવારે 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે. જેમાં 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. તેની સાથે જ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી મહાપ્રસાદ પણ યોજાશે. આ તકે વાંકાનેરના શાસ્ત્રી હિતેષભાઈ જોષી દ્વારા લગ્ન વિધિ કરાવવામાં આવશે. અને આ કાર્યક્રમના અધ્યક્ષપદે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા હાજર રહેવાના છે. તેમજ સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સમાજના લોકોને આવવા માટે સમસ્ત કોળી સમાજ સમિતિ વાંકાનેર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News