મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

મોરબી ખાતે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સૌરાષ્ટ્ર-કચ્છમાથી રોજી રોટી કમાવવા માટે મોરબીમાં આવેલા અને અહીના રહેવાસી બની ગયેલા લેઉવા પાટીદારો તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

મોરબીમા રહેતા લેઉવા પાટીદાર સમાજના સભ્યોનો પરિચય, સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા સમૂહ ભોજનનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ તકે ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે.વી. કાકડીયા, જિલ્લા ટ્રેઝરી અધિકારી પી.આર.રાવરિયા તેમજ મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ અધિકારીઓ, મોરબીમા સેવા આપતા લેઉવા પાટીદાર સમાજના ડોકટરો, સી.એ. વગેરે લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના જ્ઞાતિ રત્નો એવા નરેન્દ્રભાઈ સંધાત કે જેઓ ભારત સરકારના સિરામિક અને રિફેક્ટરી વિભાગના સભ્ય છે અને સરદારધામના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે તેનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને લજાઈ ગામે આવેલ ઉમા સંસ્કાર ધામના અધ્યક્ષ એ.કે.પટેલ, શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા ઉપપ્રમુખ બેચરભાઈ પટેલ, સભ્ય હસુભાઈ દુબરિયા, આર.ડી.સી. બેંક ના ડિરેક્ટર સંજયભાઈ ભાગિયા વગેરેનુ સન્માન મોરબી તાલુકા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ સુમંતભાઇ રોકડ, ઉપપ્રમુખ મંગલજીભાઈ સુવાગીયા સહિતની ટીમે કર્યા હતા આ તકે લેઉવા પાટીદાર સમાજના 750 જેટલા કુટુંબીજનો હાજર રહ્યા હતા અને સમૂહભોજનનો લાભ લીધેલ હતો.






Latest News