ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં સરદાર લેઉવા પાટીદાર સમાજનું સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

મોરબી ખાતે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સૌરાષ્ટ્ર-કચ્છમાથી રોજી રોટી કમાવવા માટે મોરબીમાં આવેલા અને અહીના રહેવાસી બની ગયેલા લેઉવા પાટીદારો તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા.

મોરબીમા રહેતા લેઉવા પાટીદાર સમાજના સભ્યોનો પરિચય, સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા સમૂહ ભોજનનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ તકે ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા જે.વી. કાકડીયા, જિલ્લા ટ્રેઝરી અધિકારી પી.આર.રાવરિયા તેમજ મામલતદાર, નાયબ મામલતદાર, પોલીસ અધિકારીઓ, મોરબીમા સેવા આપતા લેઉવા પાટીદાર સમાજના ડોકટરો, સી.એ. વગેરે લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના જ્ઞાતિ રત્નો એવા નરેન્દ્રભાઈ સંધાત કે જેઓ ભારત સરકારના સિરામિક અને રિફેક્ટરી વિભાગના સભ્ય છે અને સરદારધામના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે તેનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને લજાઈ ગામે આવેલ ઉમા સંસ્કાર ધામના અધ્યક્ષ એ.કે.પટેલ, શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા ઉપપ્રમુખ બેચરભાઈ પટેલ, સભ્ય હસુભાઈ દુબરિયા, આર.ડી.સી. બેંક ના ડિરેક્ટર સંજયભાઈ ભાગિયા વગેરેનુ સન્માન મોરબી તાલુકા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ સુમંતભાઇ રોકડ, ઉપપ્રમુખ મંગલજીભાઈ સુવાગીયા સહિતની ટીમે કર્યા હતા આ તકે લેઉવા પાટીદાર સમાજના 750 જેટલા કુટુંબીજનો હાજર રહ્યા હતા અને સમૂહભોજનનો લાભ લીધેલ હતો.






Latest News