મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ


SHARE







માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ગાય અને ગૌવંશનું હત્યા કરવામાં આવે છે તે હક્કિત છે તેવામાં મોરબી જીલ્લામાં માળિયા (મી) તાલુકાનાં ચીખલી ગામ પાસે ગૌ હત્યા કરવામાં આવી હોય તેના શરીરના કપાયેલા અંગો ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને લોકોમ ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને ગાયની હત્યા કરનાર સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

હાલમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ચીખલી ગામની સીમમાં ગૌ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે અને સ્થળ ઉપરથી ગાય માતાના કપાયેલ માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા માળીયા પોલીસને ગાયની હત્યા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ગાયની હત્યા કરવામાં આવી હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી છે. અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News