મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના બી.એસ.સી. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ
SHARE
માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ગાય અને ગૌવંશનું હત્યા કરવામાં આવે છે તે હક્કિત છે તેવામાં મોરબી જીલ્લામાં માળિયા (મી) તાલુકાનાં ચીખલી ગામ પાસે ગૌ હત્યા કરવામાં આવી હોય તેના શરીરના કપાયેલા અંગો ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને લોકોમ ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને ગાયની હત્યા કરનાર સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
હાલમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ચીખલી ગામની સીમમાં ગૌ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે અને સ્થળ ઉપરથી ગાય માતાના કપાયેલ માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા માળીયા પોલીસને ગાયની હત્યા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ગાયની હત્યા કરવામાં આવી હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી છે. અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.