મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો


SHARE











મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો

ડો.હસ્તીબેન મહેતા ના એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહિંના જયંતીભાઈ જેરાજભાઈ સેરસીયાના આર્થિક યોગદાન દ્વારા ત્રિલોક ધામ કુબેરનગરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.ત્યારે જયંતીભાઈ અને તેમના પત્ની ઉષાબેન પણ કેમ્પમાં હાજર રહ્યા હતા.આ કેમ્પમાં ત્રિલોક ધામના પ્રમુખ પ્રશાંતભાઇ મેહતા, મંત્રી કિશોરભાઈ પાટડિયા, ખજાનચી લખમણભાઈ કંઝરિયાના સુંદર  આયોજનથી ૧૪૦ થી પણ વધુ દર્દીઓને  લાભ મળ્યો હતો.

જેની નામ નોંધણી બિંદુબેન રાવલે કરૂ હતી.જયારે કૌશીકા રાવલે વજન કર્યું હતુ અને ૮૦ થી વધુ દર્દીઓનું બીપી કેતનભાઈ મેહતાએ ચેક કર્યું હતુ.તેમજ આંખના ડો.સુરેશભાઈ કાલરીયાએ ૫૦ વધુ દર્દીઓની આંખના નંબર ચેક કરીને જરૂરી સારવાર આપી.સાથે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા કુદરતી બક્ષિસ દ્વારા સાંધા, વા, ઘૂંટણ, કમ્મર વિગેરેના દર્દીઓની પોઇન્ટ દ્વારા સારવાર આપવામાં આવેલ અને દર્દીઓને રાહતનો અહેસાસ થયો હતો. ડો.હસ્તીબેન મેહતાએ દર્દીઓને તપાસી ૫૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ ફ્રી કરી આપેલ.રશ્મિભાઈ દેસાઈ દ્વારા ત્રણ દિવસની દવા આપવામાં આવેલ જેમા મંદિર દ્રારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.






Latest News