મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત


SHARE











મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત

મોરબીના ગાંધીબાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષોથી મૂકવામાં આવેલ છે ત્યાં ચોમેર ગંદકી છે ત્યારે આ બાબતે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે અને ત્યાં સફાઈ ન કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેમણે મોરબીને મહાપાલિકા બનાવવાના નિર્ણય માટે સરકારને ધન્યવાદ આપેલ છે અને વધુમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવેલ છે તેની ચોમેર ગંદકી છે ત્યા વાહનોનું પાર્કિગ કરવામાં આવે છે જો કે, ગંદકીનું સામ્રાજ્ય દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે વર્તમાન વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો મોરબીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ગંદગીનું સામ્રાજ્ય છે તે કેમ અધિકારીઓને દેખાતું નથી ? હાલમાં મોરબી પાલિકામાં વહીવટદારનું શાસન  છે. અને હવે મહાપાલિકા બનેલ છે ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે સફાઈ કરવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો સફાઈ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News