મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું

મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-ડેમમાં પાડીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવની તપાસ કરી રહેલ પોલીસ કર્મચારી પાસેથી મળેલ માહિતી મુજબ છેલ્લા ઘણા મહિનાથી સિરામિક કારખાનું બંધ હોવાથી આર્થિક મૂંઝવણ હતી જેથી કંટાળીને તેને આપઘાત કરેલ છે. જેની પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-ડેમના પુલ ઉપરથી યુવાને ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું  અને તેની બોડીને ફાયરની ટિમ ગઇકાલે સવારે પાણીમાંથી બાહર કાઢેલ છે. અને મૃતક કનેરીયા રવીભાઇ ધીરજલાલ (35) રહે. મહાવીર સોસાયટી સામાકાંઠે મોરબી વાળાના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ અંગેની આગળની તપાસ કરી રહેલ એ.એમ.ઝાંપડીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન જે સિરામિક કારખાનાં કામ કરતો હતો તે કારખાનું છેલ્લા ઘણા મહિનાથી બંધ છે જેથી આર્થિક મૂંઝવણ હતી અને આર્થિક મૂંઝવણની કંટાળીને તેને આ પગલું ભરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News