મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું


SHARE











મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું

મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-ડેમમાં પાડીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવની તપાસ કરી રહેલ પોલીસ કર્મચારી પાસેથી મળેલ માહિતી મુજબ છેલ્લા ઘણા મહિનાથી સિરામિક કારખાનું બંધ હોવાથી આર્થિક મૂંઝવણ હતી જેથી કંટાળીને તેને આપઘાત કરેલ છે. જેની પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-ડેમના પુલ ઉપરથી યુવાને ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું  અને તેની બોડીને ફાયરની ટિમ ગઇકાલે સવારે પાણીમાંથી બાહર કાઢેલ છે. અને મૃતક કનેરીયા રવીભાઇ ધીરજલાલ (35) રહે. મહાવીર સોસાયટી સામાકાંઠે મોરબી વાળાના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ અંગેની આગળની તપાસ કરી રહેલ એ.એમ.ઝાંપડીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન જે સિરામિક કારખાનાં કામ કરતો હતો તે કારખાનું છેલ્લા ઘણા મહિનાથી બંધ છે જેથી આર્થિક મૂંઝવણ હતી અને આર્થિક મૂંઝવણની કંટાળીને તેને આ પગલું ભરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News