મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી: લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપી શરીફાબેન-ધિરાજભાઈનો જામીન ઉ૫૨ છુટકારો


SHARE











મોરબી: લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપી શરીફાબેન-ધિરાજભાઈનો જામીન ઉ૫૨ છુટકારો

માળીયા (મીં.) પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની અંજીયાસર ગામની સીમમાં આવેલ સર્વે નં. ૪૧૭૩ વાળી જમીનમાં હે–૨ આરે-૬૯ ચો.મી.-૧૨૧૨ વાળી જમીનમાં કામના આરોપીએ અનઅધીકૃત રીતે ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી જમીનમાં ખેતી કરી ઉત્પાદન મેળવી આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની માળીયા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ ૩, ૪(૧), ૪(૩), ૫(સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલ.આરોપી શરીફાબેન નોતીયા૨ તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર.અગેચાણીયા રોકાયેલ. આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નદોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે.અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી.પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી . તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ.આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા.

તેમજ મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ ધીરજભાઈ દેવશીભાઈ શીહોરા જાતે ઠાકોરનો પણ જામીન ઉ૫૨ છુટકારો થયેલો છે.હળવદ પોલીસે ફરીયાદીની ફરીયાદ ઉપરથી આરોપીઓએ ફરીયાદીની માલીકીની કેદા૨ીયા ગામની સીમમાં રેવેન્યુ સર્વે નં ૪૦૦-૧-૩ વાળી જમીનમાં આ કામના આરોપીએ અનઅધીકૃત ૨ીતે ગેર કાયદેસ૨ કબજો ક૨ી જમીન પચાવી પાડી જમીનમાં આરોપીઓએ આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની હળવદ પોલીસે આરોપીઓ સામે કરેલ ફરીયાદમાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા ૫૨ પ્રતીબંધ કાયદાની કલમ ૩, ૪(૧), ૪(૩), ૫(સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી જે કેશમાં આરોપી ધીરજભાઇનો જામીન ઉપર છુટકારો થયેલ છે આરોપી તરફેથી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયા છે.






Latest News