મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી


SHARE











મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી

મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવેલ નથી ઉપરાંત આવાસમાં સોલાર લાઈટો છે તે પણ બંધ છે અને આવાસ યોજના વસાહત પાસે એક ભયાનક વોંકળો આવેલ છે જેના કારણે ભારે ગંદકી ફેલાય છે અને માંખી-મચ્છરનો ત્રાસ છે જેથી લોકો માંદા પડે તેવી શક્યતા છે આ મુદે રમેશભાઈ રબારી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મુશ્કેલીઓ દુર થાય, વોંકળાની સફાઈ થાય તેવો પ્રબંધ કરી વસાહતીઓની સુવિધા ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં ફરી વખત કોરોના વ્યાધિ રવાપર સહિતનાં વિસ્તારોમાં હોય આ વિસ્તારમાં જરૂરી લોકહિતના પગલા લેવાની માલધારી આગેવાને માંગ કરેલ છે. આ ઉપરાંત બાયપાસથી આવાસમાં જવા માટેના રસ્તાઓ પર લાઈટની સુવિધા નથી ભયાનક અંધકાર રહે છે લોકોને આવન જાવનની મુશ્કેલી છે અને આ રસ્તા પર દારૂડીયાઓ મહેફીલ જમાવી બેસે છે ! વસાહતીઓને આવવુ-જવુ મુશ્કેલ છે અને બેન-દીકરીઓ નિકળી શકતા નથી તેમજ આ રોડ કાચો અને ઉબડખાબડ છે જેથી બાયપાસથી આવાસ યોજના સુધીનાં રસ્તાને સિમેન્ટ રોડ બનાવવો અત્યંત જરૂરી છે જેથી વસાહતીની મુશ્કેલી દુર થાય. આવાસ યોજનામાં આંગણવાડી ચાલુ થયેલ છે તેમાં આવાસ યોજનાના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને બહારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાબતે પણ યોગ્ય કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.






Latest News