સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના કેસરબાગના બાકડા ઉપર બેઠલા યુવાનનું કોઈ કારણોસર મોત: હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE











મોરબીના કેસરબાગના બાકડા ઉપર બેઠલા યુવાનનું કોઈ કારણોસર મોત: હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગના બાકડા ઉપરથી મૃત હાલતમાં યુવાન મળી આવ્યો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા જસ્મીનભાઇ જયંતીભાઈ કાલરીયા (40) નામનો યુવાન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગમાં હતો અને ત્યારે ત્યાં બાકડા ઉપરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તે યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આગળની વધુ તપાસ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં નર્સિંગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 રહેતા પ્રભુદાસભાઈ હકુભાઈ સોલંકી (95) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ અંગેની મૃતકના દીકરા બાબુલાલ પ્રભુદાસ સોલંકી (71)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.






Latest News