મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 29 ડિસેમ્બરને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે સ્નેહમિલન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, મોરબીના એસપી રોડ પર આવેલા પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ ખાતે બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા 27 મો સરસ્વતી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામા આવેલ છે આ કાર્યક્રમનું ઉદઘાટન નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવશે. અને 2:30 થી 3:30 ની વચ્ચે જે દંપતીઓ આવશે તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીમાં રહેતા બગથળાના તમામ જ્ઞાતિના સભ્યોએ આવવા માટે પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ આપેલ છે. 






Latest News