ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ


SHARE











મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ

મોરબીમાં તખ્તસિંહજી રોડનું કામ ચાલી રહેલ છે જેથી કરીને ત્યાં રસ્તો બંધ કરવામાં આવેલ છે અને તેના માટે જરૂરી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે અને ત્રણ રોડને વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યા છે
 
મોરબી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે તેમા જણાવ્યું છે કે, મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોવાથી કામગીરી કરવા માટે વાહનોની અવરજવર પર ૩૦ દિવસ માટે બંધ કરાઇ છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરીને ૩ વૈકલ્પિક રસ્તા જાહેર કરેલ છે જેમાં ટૂ વ્હીલર-ફોર વ્હીલર માટે પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન, મચ્છીપીઠ રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ તરફ જઈ શકશે. તેમજ પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન થઈને અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ જઈ શકશે અને વિજય ટોકીઝ પાસે સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈને નવાડેલા રોડ જુના બસ સ્ટેશનથી અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન તરફ જઈ શકાશે.






Latest News