મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ


SHARE











મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલ અપહરણ અને પોકસો ના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે

આ કેસની માહિતી આપતા વકીલે જણાવ્યુ હતું કે, તા. ૨૮-૧૨-૨૦૧૭ ના રોજ રાત્રીના સાડા બારથી અઢી વાગ્યાના દરમ્યાન આરોપી મહેશભાઈ રમેશભાઈ પરમારે ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારનું અપહરણ કર્યું હતું અને ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાએ તેના મોટર સાયકલમાં બેસાડી બંને આરોપીઓ તેને લઈ ગયા હતા અને ત્યાર બાદ મહેશભાઈ પરમારે તે સગીરાની સાથે જાતીય હુમલો કરી અવાર નવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરી બળાત્કાર કર્યો હતો. જેથી કરીને આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૩(એ), ૪, ૬ તથા ૧૭ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અને આરોપીઓની ધરપકડ કરી હતી. અને આરોપીઓ વિરૂધ્ધ ગુનો બનતો હોવાનો પુરતો પુરાવો હોય તેમ જણાવીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જે કેસમાં આરોપી ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા અને તેઓએ રજૂ કરેલા પુરાવા અને તેઓની ધારદાર દલીલને ધ્યાને લઈને સ્પેશ્યલ પોકસો કોર્ટએ આરોપી ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાને આ ગુનામાંથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા.






Latest News