સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત

મોરબી જીલ્લામાં ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી અને સસ્તા આનાજની દુકાનના ઘણા પ્રશ્નો છે જેથી કરીને રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે માટે આ અંગે યોગ્ય તપાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે મોરબીના જાગૃત નાગરિકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરી છે.

મોરબીમાં રહેતા પી.પી. જોષીએ હાલમાં ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, ગરીબી રેખા હેઠળ આવતા લોકોને રેશનકાર્ડ આધારે મફત અનાજ આપવામાં આવે છે પરંતુ ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી, જેથી લોકોને ઘણી મુષેકલીનો સામનો કરવો પડે છે અને તંત્ર વાહકોની બેદરકારીના લીધે રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને લોકોને બજારમાંથી નાછૂટકે અનાજ લેવું પડે છે. આમ સરકાર કરોડો રૂપીયા ખર્ચે તો પણ પુરવઠા ખાતાના અધિકારી અને દુકાનદારો વચ્ચે તાલમેલ ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે. જેથી કરીને સાસતા અનાજની દુકાનોની સંચાલન કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓને સંતોષવામાં આવતી નથી જેથી કરીને તેઓ નાછુટકે હળતાલ કરે છે અને લોકોને અનાજ સહિતની વસ્તુઓ લેવા માટે હેરાન થવું પાસે છે. જેથી આ બાબતોને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગકરી છે.






Latest News