મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત

મોરબી જીલ્લામાં ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી અને સસ્તા આનાજની દુકાનના ઘણા પ્રશ્નો છે જેથી કરીને રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે માટે આ અંગે યોગ્ય તપાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે મોરબીના જાગૃત નાગરિકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરી છે.

મોરબીમાં રહેતા પી.પી. જોષીએ હાલમાં ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, ગરીબી રેખા હેઠળ આવતા લોકોને રેશનકાર્ડ આધારે મફત અનાજ આપવામાં આવે છે પરંતુ ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી, જેથી લોકોને ઘણી મુષેકલીનો સામનો કરવો પડે છે અને તંત્ર વાહકોની બેદરકારીના લીધે રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને લોકોને બજારમાંથી નાછૂટકે અનાજ લેવું પડે છે. આમ સરકાર કરોડો રૂપીયા ખર્ચે તો પણ પુરવઠા ખાતાના અધિકારી અને દુકાનદારો વચ્ચે તાલમેલ ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે. જેથી કરીને સાસતા અનાજની દુકાનોની સંચાલન કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓને સંતોષવામાં આવતી નથી જેથી કરીને તેઓ નાછુટકે હળતાલ કરે છે અને લોકોને અનાજ સહિતની વસ્તુઓ લેવા માટે હેરાન થવું પાસે છે. જેથી આ બાબતોને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગકરી છે.






Latest News