સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE











બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં ટંકારામાં આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા તાલુકા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો સામે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, બાંગ્લાદેશમાં સનાતન હિન્દુ સમાજના પરિવારો ઉપર કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી તથા અમાનવીય અત્યાચારો કરવામાં આવી રહ્યા છે જેનાથી કંપારી છુટી જાય એમ છે ત્યારે ભારત સરકારના પ્રધાન સેવક પિડિતોના હક્ક અને હિતમાં ઉભા રહે અને વિદેશ નિતી અને સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પ્રસ્તાવ મૂકી ત્યાંની સર્વોચ્ચ અદાલતમાં હિન્દુ સમાજ અને પિડીતોને ન્યાય મળે તથા તાત્કાલિક અસરથી ખાના ખરાબી જાન માલની નુકસાની તથા નિર્ભય પણે જીવન વ્યતીત કરી શકે એવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર તથા અન્ય દેશોમાં હિન્દુ સમાજના નાગરિકો સાથે અત્યાચારો કરવામાં આવે છે તે બંધ થાય તથા સમગ્ર હિન્દુ સમાજની જાન માલની સુરક્ષા સુનિશ્ચિત થાય, બાંગ્લાદેશમાં નિવાસ કરતા અલ્પસંખ્યક હિન્દુ સાથે સંપૂર્ણ ભારતીય હિન્દુ સમાજ આ દુઃખની ઘડીમાં સાથે છે અને પીડિત સમાજ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. આ તકે રાષ્ટ્ર નવનિર્માણ સંઘ, પટેલ સમાજ એસો., હિન્દૂ અસ્મિતા મંચ, આર્ય સમાજ અને ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ સહિતના સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.






Latest News